ચિત્તોડગઢ, મેવાડની અખંડ શૌર્યભૂમિ. અહીંનું પહેલું સક્કા–જૌહર ૧૮ ઓગસ્ટ ૧૩૦૩ ઈસવીના રોજ અલાઉદ્દીન ખિલજીના હુમલા દરમિયાન બન્યું. હજારો સંખ્યામાં આવેલા બર્બર સૈનિકોએ નાના કિલ્લા પર આક્રમણ કર્યું. સંખ્યાબળમાં ઓછા હોવા છતાં મેવાડના હિન્દુ યોદ્ધાઓએ પોતાના ધર્મ, દેવતાઓ અને સ્વાભિમાનના રક્ષણ માટે મૃત્યુને આમંત્રણ આપ્યું. આ યુદ્ધ માત્ર ભૂમિ જીતવા માટે નહોતું, પરંતુ સંસ્કૃતિ, આસ્થા અને જીવનમૂલ્યોને બચાવવાનો પ્રયત્ન હતો.
પુરુષો મરણમથામણમાં વિલય પામે એ પહેલા કિલ્લાની તમામ સ્ત્રીઓ – રાણીઓ, દાસીઓ, સામાન્ય ગૃહિણીઓ – સૌએ જૌહર માટે સંકલ્પ લીધો. અગ્નિકુંડોમાં હજારો મહિલાઓ, પોતાના બાળકો સાથે, પવિત્ર જ્યોતમાં સમાઈ ગઈ. તે પળમાં આત્મસન્માનની જ્યોત એટલી પ્રખર બની કે મૃત્યુ પણ ઉજવણી જેવું લાગતું હતું.
રાજસ્થાનમાં જૌહરનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ રાણી પદ્મિની અને ૨૦,૦૦૦ સ્ત્રીઓનું છે, જેમણે ખિલજીના વ્યભિચારી આશય સામે શરણાગતિ ન સ્વીકારી. તેમના દૃઢ સંકલ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો કે હિન્દુ સ્ત્રીઓ કદી ગુલામી કે અપમાન સ્વીકારશે નહીં.
જૌહર માત્ર આગમાં દહન નહોતું, તે આત્મસન્માનનું અતૂટ શસ્ત્ર હતું. શરીર તો એક દિવસ નાશ પામવાનું જ, પરંતુ આત્મસન્માનને કદી નાશ થવા દેવું નહિ – એ હિન્દુ સ્ત્રીઓએ દુનિયાને બતાવ્યું. મેવાડના યોદ્ધાઓ અને સ્ત્રીઓના આ ત્યાગથી ભારતની ભવિષ્ય પેઢીઓને સંદેશ મળ્યો કે બળજબરીથી થતી ગુલામી સ્વીકારવાની નથી.
૧૩૦૩ના ચિત્તોડના સક્કા–જૌહરે સ્પષ્ટ કરી દીધું કે હિન્દુ સમાજ માટે જીવતા રહીને અપમાન સહન કરતા મરવું શ્રેષ્ઠ છે. આ પરંપરાએ આવનારા યુગોમાં પણ મેવાડને ઇસ્લામિક શાસન સામે પ્રતિરોધનું પ્રતિક બનાવી દીધું. મેવાડના રક્તમાં જ આ સંકલ્પ વહેતો રહ્યો – “આત્મસન્માન ગુમાવવું, એ જ સાચો મરણ છે.” આ જ ભાવનાએ આગળ ચાલીને મહારાણા કુંબા, મહારાણા સાંગા અને મહારાણા પ્રતિાપ જેવા મહાન યોદ્ધાઓને જનમ આપ્યો, જેમણે મેવાડને ગુલામીમાં ન જવા દીધો. આ સક્કા–જૌહર માત્ર એક કિલ્લાનો નહીં, પરંતુ સમગ્ર હિંદુ સમાજના અવિનાશી સ્વાભિમાનનો ઘોષ હતો.
૧૮ ઓગસ્ટ ૧૩૦૩નો પ્રથમ ચિત્તોડ સક્કા–જૌહર માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ ભારતના આત્મસન્માનનું જ્વલંત પ્રતિક છે. રાજસ્થાનની તે પવિત્ર ધરતી પર, હજારો સ્ત્રીઓએ અગ્નિમાં સમાઈને ભવિષ્યની પેઢીઓને સંદેશ આપ્યો કે – “અપમાન કરતાં મરણ શ્રેયસ્કર.” આ જ કારણ છે કે જૌહરની જ્વાળાઓ આજે પણ આપણને યાદ અપાવે છે કે સ્વાભિમાન અને સંસ્કૃતિની રક્ષા માટે કેટલો અદમ્ય ત્યાગ કરવો પડ્યો હતો.
STORY BY: NIRAJ DESAI
Patna (Bihar) [India], September 19 (ANI): Janata Dal (United) MP Sanjay Kumar Jha took a…
Bhadradri Kothagudem (Telangana) [India], September 19 (ANI): Six members of the outlawed CPI(Maoist) party on…
Islamabad [Pakistan], September 19 (ANI): At least five people were killed and three others injured…
Bengaluru (Karnataka) [India], September 19 (ANI): Karnataka Additional Chief Secretary of the Urban Development Department,…
New York [US], September 19 (ANI): The United States on Thursday vetoed a United Nations…
Sukma (Chhattisgarh) [India], September 19 (ANI): A woman Maoist carrying a reward of Rs 5…