Categories: GujaratHealthState

દયાની સાથે દાયિત્વ: રખડતા કૂતરાઓ પર કોર્ટનો અભિગમ

શહેરોમાં વધતી રખડતા કૂતરાઓની સંખ્યાને લીધે સમાજમાં ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ છે. ઘણી જગ્યાએ લોકોને હુમલાનો ભોગ બનવું પડ્યું છે, તો બીજી બાજુ અનેક દયાળુ નાગરિકો આવા શેરીના પ્રાણીઓ માટે ખોરાક અને સારવારની વ્યવસ્થા કરે છે. 15 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે, રીમા શાહ દ્વારા દાખલ અરજીની સુનાવણી દરમિયાન, એવી ટિપ્પણીઓ કરી કે જેનો અર્થ નકારાત્મક રીતે રહ્યો: “તમે તેમને તમારા ઘરમાં કેમ નહિ ખવડાવો?”

હકીકતમાં, માનનીય કોર્ટે આ સમયે કોઇ સ્પષ્ટ નિર્દેશ આપ્યો નહીં કે અરજદારે શેરીના કૂતરાઓને ખવડાવવાનું બંધ કરવું જોઈએ કે તેમને ઘરમાં રાખવું જોઈએ. પત્રકારો દ્વારા આ ટિપ્પણીઓ આકસ્મિક રીતે પ્રકાશિત થતાં વિવાદ ઉભો થયો.  

પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023 જેને ABC (Animal Birth Control) નિયમો તરીકે લોકપ્રિય રીતે ઓળખવામાં આવે છે તેના નિયમ 20 માં જણાવાયું છે કે, “એ નિવાસી કલ્યાણ સંગઠન અથવા એપાર્ટમેન્ટ માલિક સંગઠન અથવા તે વિસ્તારના સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિની જવાબદારી રહેશે કે તેઓ પરિસરમાં રહેતા સમુદાયના પ્રાણીઓને ખોરાક આપવા માટે જરૂરી વ્યવસ્થા કરે, જેમાં તે વિસ્તાર અથવા પરિસરમાં રહેતી વ્યક્તિનો સમાવેશ થાય છે, જે તે પ્રાણીઓને ખવડાવે છે અથવા તે પ્રાણીઓને ખવડાવવાનો ઇરાદો ધરાવે છે અને કરુણાપૂર્ણ સંકેત તરીકે શેરી પ્રાણીઓની સંભાળ પૂરી પાડે છે.” તેમાં ખોરાકના સંદર્ભમાં વિસ્તારમાં માનવીઓની સલામતી અને સુખાકારીનું રક્ષણ કરવા માટેની જોગવાઈઓ પણ શામેલ છે.

સંઘર્ષને રોકવા માટે, અરજદારે નોઈડામાં ખુલ્લા, નિયુક્ત વિસ્તારોને ઓળખવા માટે દિશા નિર્દેશો માંગ્યા હતા જ્યાં સમુદાયના કૂતરાઓને વિવાદો ઉભા કર્યા વિના ખવડાવી શકાય. ABC  (Animal Birth Control) નિયમોમાં આને “ફીડિંગ સ્પોટ્સ” તરીકે ઓળખવામાં આવે છે, જે RWAs (રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન) દ્વારા નિયુક્ત કરવાના છે. એવું અહેવાલ છે કે સુપ્રીમ કોર્ટે, તેણીની અપીલ પર સુનાવણી કરતી વખતે, કેટલીક ટિપ્પણીઓ કરી હતી,

જેમાં પૂછવું શામેલ છે કે, “તમે તેમને તમારા પોતાના ઘરમાં કેમ ખવડાવતા નથી? 

તમને કોઈ રોકી રહ્યું નથી.” બેન્ચે એમ પણ કહ્યું હતું કે,

“અમે તમને તમારા પોતાના ઘરમાં આશ્રયસ્થાન ખોલવાનું સૂચન આપીએ છીએ. સમુદાયના દરેક કૂતરાને તમારા પોતાના ઘરમાં ખવડાવવું.”

અગાઉ, સુપ્રીમ કોર્ટ દ્વારા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચની સમાન ટિપ્પણીઓને રદ કરવામાં આવી હતી. 16 નવેમ્બર, 2022 ના રોજ, ન્યાયાધીશ સંજીવ ખન્ના (હાલ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ) અને જે કે મહેશ્વરીની સુપ્રીમ કોર્ટની બેન્ચે, શેરીના કૂતરાઓને જાહેરમાં ખવડાવવા પર પ્રતિબંધ મૂકતા બોમ્બે હાઈકોર્ટના આદેશ (નાગપુર બેન્ચ) પર સ્ટે મૂક્યો હતો અને 21 ઓક્ટોબર, 2022 ના રોજ હાઈકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશના પાલનમાં કોઈપણ વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારની જબરદસ્તીભર્યું પગલું ન ભરવાનો આદેશ આપ્યો હતો. 

અંતે, સમાધાન એ છે કે દયાળુતાને દાયિત્વ સાથે સંતુલિત કરવી જોઈએ — જેથી માનવ સુખાકારી અને પ્રાણીઓની હક બંને એક સહ અસ્તિત્વ નિભાવી શકે.

STORY BY : SAURABH SOLANKI

Recent Posts

Yuvarambh 2026: Building Real Pathways for Youth Entrepreneurship

Platform brings youth, industry and incubators together to explore entrepreneurship as an emerging livelihood pathway…

15 hours ago

CDSL–KPMG in India Report Calls for Data-Led Transformation of India’s Securities Market, Proposes ‘3C’ Framework

Mumbai (Maharashtra) [India], March 19: Central Depository Services (India) Limited (“CDSL”), Asia’s first listed depository,…

16 hours ago

Ryan Pinto on Building Good Human Beings: Why Value-Based Education Matters in Today’s World

Mumbai (Maharashtra) [India], March 19: In today’s fast-changing world, education is often measured by marks,…

16 hours ago