મુગલ સમ્રાટ શાહજહાં અને મુમતાજ મહલનો જ્યેષ્ઠ પુત્ર દારા શિકોહ ભારતીય ઇતિહાસમાં એક એવા રાજકુમાર તરીકે ઓળખાય છે, જેણે તલવારની જગ્યાએ કલમને પોતાના સાધન તરીકે પસંદ કરી હતી. તેનું જીવન માત્ર રાજકીય સ્પર્ધાઓમાં જ નથી, પરંતુ આધ્યાત્મિકતા અને સર્વધર્મ સમભાવના ઊંડા વિચારોથી પણ ઝળહળે છે. દારા શિકોહનો જન્મ અજમેરમાં થયો હતો અને ૩૦ ઓગસ્ટ ૧૬૫૯ના રોજ તેનું દેહાવસાન થયું હતું. પરંતુ તેના વિચારો આજે પણ માનવજાતને પ્રકાશ આપે છે.
દારા શિકોહે રાજમહેલની સગવડ વચ્ચે માત્ર આરામ અને ભોગવિલાસમાં જીવન પસાર ન કર્યું. તેને જ્ઞાનની તરસ હતી. ખાસ કરીને ભારતીય પરંપરાના અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન તરફ તેનો ઝુકાવ હતો. તેણે સંસ્કૃત ભાષા શીખી અને તેમાંથી ઉપનિષદો, ભગવદ ગીતા અને યોગવશિષ્ઠ જેવા અમૂલ્ય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. આ કાર્ય માત્ર ભાષાંતર ન હતું, પણ બે સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ હતો – ભારતના વેદાંત અને ઇસ્લામી સૂફી પરંપરાઓ વચ્ચેનો સંગમ.
દારા શિકોહનું સર્વશ્રેષ્ઠ કાર્ય “સિર્રે અકબર” (મહાન રહસ્ય) માનવામાં આવે છે, જેમાં તેણે ઉપનિષદોના ફારસી અનુવાદ કર્યા. આ અનુવાદ પાછળનું તેનું તત્ત્વ એ હતું કે ઈશ્વર એક છે, નામ અને પરંપરા અલગ હોઈ શકે, પરંતુ પરમ સત્ય સર્વવ્યાપ્ત છે.
દારા શિકોહના કાર્યને માત્ર ભારતે જ નહીં, પરંતુ વિશ્વે પણ માન્યતા આપી. વર્ષ ૧૮૦૧માં આંકેતિલ દુપેરાએ આ ફારસી અનુવાદને લેટિન ભાષામાં અનુવાદિત કર્યો. લેટિનમાં પહોંચેલા આ ઉપનિષદો યુરોપના જ્ઞાનક્ષેત્રને પ્રકાશિત કરવા લાગ્યા. જર્મન વિદ્વાન શોપનહૌરએ ઉપનિષદોને વાંચ્યા બાદ કહ્યું હતું – “ઉપનિષદો માનવ બુદ્ધિની સર્વોચ્ચ ઉપજ છે.”
આ એક પ્રકારનું સાંસ્કૃતિક યાત્રાધામ હતું, જ્યાં ભારતનું પ્રાચીન તત્ત્વજ્ઞાન પશ્ચિમના વિચારો સાથે જોડાયું. દારા શિકોહ આ કાર્યથી અનંત કાળ સુધી યાદ રહેશે.
દારા શિકોહને ખાસ કરીને ઉપનિષદોમાં રહેલું ઊંડું તત્ત્વજ્ઞાન આકર્ષતું હતું. ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જ વિશ્વવ્યાપી વિચારધારા રજૂ થઈ છે –
ॐ ईशावास्यमिदम् सर्वं यत्किंच जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृध: कस्य स्विद्धनम्॥
અર્થાત્ – આ સમગ્ર જગતમાં જે કાંઈ પણ છે તે સર્વ ઈશ્વરથી વ્યાપ્ત છે. તેથી ત્યાગપૂર્વક ભોગવટો કરો, લોભ અને આસક્તિથી દૂર રહો.
આ શ્લોકમાં રહેલું તત્ત્વજ્ઞાન જાણે સર્વધર્મ સમભાવનું સંદેશ આપે છે. જો માત્ર આ એક શ્લોકને વિશ્વ સમજીને આચરે તો માનવજાતમાં અશાંતિ, હિંસા, દ્વેષ – બધું નાશ પામે અને સર્વત્ર સુખ-શાંતિ સ્થાપિત થાય.
દારા શિકોહ માત્ર એક રાજકુમાર નહોતો; તે વિચારક, અનુવાદક અને સાંસ્કૃતિક સંવાદનો શિલ્પી હતો. તેનું જીવન જાણે એક સૂર્યકિરણ જેવું હતું – જે પૂર્વ અને પશ્ચિમ, હિંદુ અને મુસ્લિમ, વેદાંત અને સૂફી પરંપરાઓ વચ્ચેનો અંધકાર દૂર કરીને એકતા અને સમન્વયનો પ્રકાશ ફેલાવતું રહ્યું.
જ્યાં તેનો ભાઈ ઔરંગઝેબ તલવાર અને શાસનથી ઇતિહાસમાં પ્રવેશ્યો, ત્યાં દારા શિકોહ જ્ઞાન અને આધ્યાત્મથી હૃદયોમાં સ્થાન પામ્યો.
દારા શિકોહનું જીવન અને કાર્ય આપણને શીખવે છે કે જ્ઞાનની કોઈ સીમા નથી, ધર્મની કોઈ દીવાલ નથી અને સત્યને પામવા માટે અનેક માર્ગો હોવા છતાં તે એક જ પરમ તત્ત્વ તરફ લઈ જાય છે. તેનાં અનુવાદો અને વિચારધારા ભારતના સાંસ્કૃતિક સંવાદના પુલ છે, જે આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા ચાર સદી પહેલાં હતા.
દારા શિકોહ આપણને યાદ અપાવે છે કે સાચું સમ્રાટપણું હૃદય જીતવામાં છે, તલવારથી નથી.
આજે જ્યારે આપણે ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે એક વિસંગતિ સ્પષ્ટ દેખાય છે. દારા શિકોહ, જેણે સંસ્કૃતિઓને જોડવાનો પ્રયત્ન કર્યો, જેની દૃષ્ટિમાં હિંદુ-મુસ્લિમ એકતાનો સંદેશ હતો, જે જ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ ઝુકેલો હતો – તે દારા શિકોહને આજની પેઢી ભાગ્યે જ યાદ કરે છે. તેના નામે શાળાઓ નથી, તેનું સ્મરણ ઉત્સવરૂપે થતું નથી, અને સામાન્ય જનમાનસમાં તેનો પરિચય પણ અસ્પષ્ટ છે.
બીજી બાજુ, ઔરંગઝેબ, જેણે પોતાની તલવારથી શાસન કર્યું, ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવી, અસંખ્ય મંદિરોનો નાશ કર્યો અને પોતાના જ ચાર ભાઈઓ (દારા શિકોહને) મોતને ઘાટ ઉતાર્યો પિતાને થાળમાં સજાવિને દારા શિકોહનું શિર ધરાવામાં આવ્યું – તેને આજે પણ કેટલાક વર્ગો “પૂર્વજ” માને છે. કારણ કે તે તલવાર અને રાજસત્તા દ્વારા શક્તિનો પ્રતિક બની ગયો. શક્તિપ્રેમી સમાજને એ વધુ યાદ રહ્યો, જ્યારે જ્ઞાનપ્રેમી રાજકુમાર ઈતિહાસના પડછાયામાં ખોવાઈ ગયો.
આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે માનવ સમાજ ઘણી વાર તલવારને કલમ કરતા વધુ યાદ રાખે છે, રાજકીય શક્તિને આધ્યાત્મિક સત્ય કરતા વધારે મહત્વ આપે છે. દારા શિકોહ જેવો સાંસ્કૃતિક દ્રષ્ટા, જે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો સેતુ બની શકતો હતો, તેને ભુલાવી દેવાયો; જ્યારે ઔરંગઝેબ જેવો વિવાદાસ્પદ શાસક હજી પણ ચર્ચામાં છે.
👉🏽 દયા, જ્ઞાન અને આધ્યાત્મિકતાને ભૂલી દેવામાં આવ્યું છે, પરંતુ ત્રાસ, દમન અને હિંસાને વારસાની જેમ સ્વીકારવામાં આવ્યું છે.
Platform brings youth, industry and incubators together to explore entrepreneurship as an emerging livelihood pathway…
Mumbai (Maharashtra) [India], March 19: Central Depository Services (India) Limited (“CDSL”), Asia’s first listed depository,…
Mumbai (Maharashtra) [India], March 19: In today’s fast-changing world, education is often measured by marks,…
New Delhi [India], March 13: The Indian real estate market is experiencing a shift from…
New Delhi [India], March 19: India’s garment manufacturing sector is entering a decisive phase of…
Our student, Urvashi Patel received the trophy for winning the speech competition at IMA. Indore…