Categories: GujaratReligion

દેવી અહિલ્યાબાઈ હોલકર – ધર્મ, ન્યાય અને રાષ્ટ્રીય ગૌરવનો અજવાળો

આજે, ૧૩ ઓગસ્ટ, દેવી અહિલ્યાબાઈ હોલકરનું પુણ્યતિથિ છે. ૧૭૯૫ના આ દિવસે મહેશ્વરમાં તેમનું અવસાન થયું હતું. તે સમયે સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું. અહિલ્યાબાઈએ સાબિત કર્યું કે સ્ત્રી માત્ર ગૃહસંચાલિકા જ નહીં, પરંતુ એક સફળ શાસક, ન્યાયાધીશ અને રાષ્ટ્રનિર્માત્રી બની શકે છે.

ભારતના ઇતિહાસમાં એવી કેટલીક સ્ત્રીઓ છે, જેમણે પોતાના કાર્ય, શૌર્ય અને ન્યાયપ્રેમથી અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે. તેમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે.
૩૧ મે ૧૭૨૫ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનાં ચૌંધી ગામમાં તેમનો જન્મ થયો. પિતા મંકોજી શિંદે ગામના પાટીલ હતા. બાળપણથી જ અહિલ્યાબાઈમાં સેવા ભાવ, ધાર્મિકતા અને ન્યાયની તીવ્ર ભાવના પ્રગટ થતી.

રાજમાર્ગે પ્રવેશ

૧૭૩૩માં, મલ્હારરાવ હોલકરે અહિલ્યાબાઈની કાબેલિયત ઓળખીને પોતાના પુત્ર ખંડેરાવ હોલકર સાથે તેમનો વિવાહ કરાવ્યો. લગ્ન પછી તેઓ ઇન્દોર આવ્યા અને હોલકર વંશના શાસનમાં જોડાયા.
પરંતુ ૧૭૫૪માં ખંડેરાવના મૃત્યુ પછી અને બાદમાં ૧૭૬૬માં મલ્હારરાવના અવસાન પછી અહિલ્યાબાઈ પર રાજકાર્યનું ભારણ આવ્યું. મુશ્કેલીના સમયમાં પણ તેમણે હિંમત ન હારી અને ૧૭૬૭માં મહેશ્વરને રાજધાની બનાવી, ત્યાંથી સુશાસનનો આરંભ કર્યો.

ધર્મ અને લોકસેવા

અહિલ્યાબાઈનું શાસન એક અનોખું સંયોજન હતું – કઠોર ન્યાય અને કરુણાસભર સેવા.

  • ગરીબો અને ભૂખ્યા લોકો માટે અન્નસત્રો ચલાવ્યા, જ્યાં રોજ હજારોને ભોજન મળતું.
  • હજારો ઘાટ, વાવ, કૂવા અને પુલોના નિર્માણ દ્વારા પીવાના પાણી અને યાત્રિક સુવિધાઓ વધારી.
  • સમગ્ર ભારતના તીર્થસ્થાનોનું પુનર્નિર્માણ – કાશી, ગંગોત્રી, हरिद्वાર, उज्जैन, द्वारका, सोमनाथ, बद्रीनाथ જેવા સ્થળોએ મંદિરોનું જીર્ણોદ્ધાર.

કાશી વિશ્વનાથ મંદિરનું પુનર્નિર્માણ

૧૭મી સદીના અંતમાં મુગલ બાદશાહ ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડી નાખ્યું હતું. અહિલ્યાબાઈએ પોતાના ધન અને નિશ્ચયથી ૧૭૮૦માં તેનું ભવ્ય પુનર્નિર્માણ કરાવ્યું. આજે જે સોનાના કળશવાળું કાશી વિશ્વનાથ મંદિર આપણે જોઈ રહ્યા છીએ, તે દેવી અહિલ્યાબાઈની ભક્તિ અને સંકલ્પનું જીવંત સ્મારક છે.

ન્યાયની પ્રતિમા

અહિલ્યાબાઈ માત્ર ધાર્મિક કાર્યોમાં જ નહીં, પરંતુ ન્યાયપ્રણાલીમાં પણ કડક હતી.

  • તેમની દરબારમાં કોઈપણ વર્ગ કે ધર્મનો માણસ ખુલ્લેઆમ ફરિયાદ કરી શકતો.
  • લાંચ, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે તેઓ નિષ્ઠુર કડકાઇ દાખવતા.
  • વેપારને પ્રોત્સાહન આપીને ઇન્દોર અને મહેશ્વરને સમૃદ્ધ વેપાર કેન્દ્ર બનાવ્યું.

આર્થિક સમૃદ્ધિ અને શાંતિ

તેમના સમયમાં કરવેરાની વ્યવસ્થા સરળ હતી, જેના કારણે પ્રજામાં સંતોષ અને વિશ્વાસ પેદા થયો.

  • કૃષિ સુધારા, સિંચાઇ યોજનાઓ અને વેપારમાર્ગોની સુરક્ષા – આ બધું મળીને હોલકર રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યું.
  • અહિલ્યાબાઈના શાસનમાં પ્રજાએ લાંબા સમય સુધી યુદ્ધમુક્ત અને શાંતિપૂર્ણ જીવન માણ્યું.

સાંસ્કૃતિક યોગદાન

  • તેમણે મહેશ્વરમાં અનેક કલા-સાંસ્કૃતિક કેન્દ્રો ઊભા કર્યા.
  • સંગીત, સાહિત્ય અને કલા માટે દરબારના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા.
  • મહેશ્વરના ઘાટો અને મંડપો આજે પણ તેમના સૌંદર્યપ્રેમ અને કારીગરીના સાક્ષી છે.

સત્ય પ્રેરણા

દેવી અહિલ્યાબાઈ હોલકરનું જીવન આપણને શીખવે છે –

  • ધર્મ વિના શક્તિ અંધકાર છે.
  • ન્યાય વિના સમૃદ્ધિ અસ્થીર છે.
  • સેવા વિના ગૌરવ અધૂરું છે.

તેમનું નામ આજે પણ દરેક હિંદુ માટે ગૌરવનું પ્રતીક છે – મારી સંસ્કૃતિ, મારો દેશ, મારો ગૌરવ 🚩

STORY BY: NIRAJ DESAI

Recent Posts

Calcium, vitamin D supplements may not prevent fractures or falls

Washington (dpa) - A large review published in the medical journal The BMJ has found…

13 minutes ago

'Supergirl' brings a reluctant and relatable hero to the big screen

By Hanna Rantala LONDON, June 18 (Reuters) - "Supergirl" star Milly Alcock says the new…

31 minutes ago

Taking birth control pills may increase binge eating habits in women

Washington (dpa) - A new study, published in JAMA Network Open, suggests that women who…

2 hours ago

NMA Hosts 4th J. N. Tata Memorial Lecture in Navsari

Shri T. V. Narendran, President, AIMA and CEO & Managing Director, Tata Steel Limited, addresses…

3 hours ago

Six Students Script Their Success Story by Becoming Authors

New Delhi [India], June 17: Twin Win, a leading educational institution focused on nurturing communication,…

3 hours ago