આજે, ૧૩ ઓગસ્ટ, દેવી અહિલ્યાબાઈ હોલકરનું પુણ્યતિથિ છે. ૧૭૯૫ના આ દિવસે મહેશ્વરમાં તેમનું અવસાન થયું હતું. તે સમયે સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું. અહિલ્યાબાઈએ સાબિત કર્યું કે સ્ત્રી માત્ર ગૃહસંચાલિકા જ નહીં, પરંતુ એક સફળ શાસક, ન્યાયાધીશ અને રાષ્ટ્રનિર્માત્રી બની શકે છે.
ભારતના ઇતિહાસમાં એવી કેટલીક સ્ત્રીઓ છે, જેમણે પોતાના કાર્ય, શૌર્ય અને ન્યાયપ્રેમથી અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે. તેમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે.
૩૧ મે ૧૭૨૫ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનાં ચૌંધી ગામમાં તેમનો જન્મ થયો. પિતા મંકોજી શિંદે ગામના પાટીલ હતા. બાળપણથી જ અહિલ્યાબાઈમાં સેવા ભાવ, ધાર્મિકતા અને ન્યાયની તીવ્ર ભાવના પ્રગટ થતી.
૧૭૩૩માં, મલ્હારરાવ હોલકરે અહિલ્યાબાઈની કાબેલિયત ઓળખીને પોતાના પુત્ર ખંડેરાવ હોલકર સાથે તેમનો વિવાહ કરાવ્યો. લગ્ન પછી તેઓ ઇન્દોર આવ્યા અને હોલકર વંશના શાસનમાં જોડાયા.
પરંતુ ૧૭૫૪માં ખંડેરાવના મૃત્યુ પછી અને બાદમાં ૧૭૬૬માં મલ્હારરાવના અવસાન પછી અહિલ્યાબાઈ પર રાજકાર્યનું ભારણ આવ્યું. મુશ્કેલીના સમયમાં પણ તેમણે હિંમત ન હારી અને ૧૭૬૭માં મહેશ્વરને રાજધાની બનાવી, ત્યાંથી સુશાસનનો આરંભ કર્યો.
અહિલ્યાબાઈનું શાસન એક અનોખું સંયોજન હતું – કઠોર ન્યાય અને કરુણાસભર સેવા.
૧૭મી સદીના અંતમાં મુગલ બાદશાહ ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડી નાખ્યું હતું. અહિલ્યાબાઈએ પોતાના ધન અને નિશ્ચયથી ૧૭૮૦માં તેનું ભવ્ય પુનર્નિર્માણ કરાવ્યું. આજે જે સોનાના કળશવાળું કાશી વિશ્વનાથ મંદિર આપણે જોઈ રહ્યા છીએ, તે દેવી અહિલ્યાબાઈની ભક્તિ અને સંકલ્પનું જીવંત સ્મારક છે.
અહિલ્યાબાઈ માત્ર ધાર્મિક કાર્યોમાં જ નહીં, પરંતુ ન્યાયપ્રણાલીમાં પણ કડક હતી.
તેમના સમયમાં કરવેરાની વ્યવસ્થા સરળ હતી, જેના કારણે પ્રજામાં સંતોષ અને વિશ્વાસ પેદા થયો.
દેવી અહિલ્યાબાઈ હોલકરનું જીવન આપણને શીખવે છે –
તેમનું નામ આજે પણ દરેક હિંદુ માટે ગૌરવનું પ્રતીક છે – મારી સંસ્કૃતિ, મારો દેશ, મારો ગૌરવ 🚩
STORY BY: NIRAJ DESAI
Platform brings youth, industry and incubators together to explore entrepreneurship as an emerging livelihood pathway…
Mumbai (Maharashtra) [India], March 19: Central Depository Services (India) Limited (“CDSL”), Asia’s first listed depository,…
Mumbai (Maharashtra) [India], March 19: In today’s fast-changing world, education is often measured by marks,…
New Delhi [India], March 13: The Indian real estate market is experiencing a shift from…
New Delhi [India], March 19: India’s garment manufacturing sector is entering a decisive phase of…
Our student, Urvashi Patel received the trophy for winning the speech competition at IMA. Indore…